Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ઈન્ડિગો એરલાઇન્સની લાપરવાહીના કારણે જયપુર લગ્નમાં ગયેલ લોકોને નવા કપડા લેવાની ફરજ પડી

ઈન્ડિગો ફ્લાઈટમાં પોતાનો સામાન અમદાવાદ એરપોર્ટ પરથી લોડ નહીં કરતા મુસાફરોને હાલાકી

અમદાવાદ : ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોને કડવો અનુભવ થયો છે. અમદાવાદથી જયપુર ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો લગ્ન માટે ગયા હતા. જો કે, મુસાફરોનો સામાન અમદાવાદ એર્પોરેટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં સામાન અમદાવાદ એરપોર્ટ પરથી લોડ ન કરવામાં આવ્યો. જેથી ઈન્ડિગોની ભૂલના કારણે આ પ્રવાસીએ જયપુર પહોચી નવા કપડા લેવાની ફરજ પડી.

અમદાવાદ એરપોર્ટ પરથી 26 નવેમ્બરે બપોરે 3.10 કલાકે કલાકની જયપુરની ફ્લાઈટમાં જવા આ પ્રવાસી રવાના થયા. જેઓ 4:45 કલાકે જયપુર પહોંચ્યા. જયપુર પહોંચ્યા બાદ તેઓ પોતાનો સામાન ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સમય જતાં સામાન ન મળ્યો અને ઈન્ડિગો એરલાઈન્સના જવાબદાર વ્યક્તિ સાથે તેમના સામાન અંગે પૂછપરછ કરી. ત્યારે તેમને જાણવા મળ્યું કે, ન માત્ર તેમનો પરંતુ તેમની સાથે રહેલ અન્ય પાંચ જેટલા પ્રવાસીઓનો સામાન જગ્યા ન હોવાના કારણે અમદાવાદથી ફ્લાઈટમાં લોડ કરવામાં આવ્યો ન હતો.

આ ઘટના બનવાથી બેગ-સામાન ન મેળવી શકનાર પ્રવાસીઓ રઝળી પડવાનો વારો આવ્યો હતો. જે પૈકી એક પ્રવાસીએ જયપુરથી આગળ લગ્ન પ્રસંગે જવાનું હતું, પરંતુ પોતાની બેગ અમદાવાદ એરપોર્ટથી લોડ થઈ ન હતી,જેમાં તેમનો મહત્વનો સામાન અને દવાઓ હતી. બેગ ન મળી શકવાના કારણે લગ્ન માટે નવા કપડા ખરીદવાનો વારો આવ્યો. જોકે આજે સવારે ઈન્ડિગો એરલાઇન્સ મારફત તેમની બેગ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હતી.

(12:00 am IST)