Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દેશમાં નફરત અને ભયનું વાતાવરણ: ભાજપ જનતાનો અવાજ સાંભળતી નથી : રાહુલ ગાંધી

દેશમાં બેરોજગારીનું મુખ્ય કારણ સંપત્તિનું કેન્દ્રીકરણ અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓમાં સીમિત થવું એ છે.

નવી દિલ્હી :  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા દેશનો અવાજ બુલંદ કરી રહી છે. દેશમાં બેરોજગારીનું મુખ્ય કારણ સંપત્તિનું કેન્દ્રીકરણ અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓમાં સીમિત થવું એ છે

  રાહુલ ગાંધીએ કહ્યું કે પદયાત્રામાં દરરોજ નવો અનુભવ થાય છે. રાહુલ ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ દેશની જનતાનો અવાજ સાંભળી રહી નથી. આ સમયે દેશમાં નફરત અને ભયનું વાતાવરણ છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ તેમના તમામ લોકોની વાત સાંભળે છે.

 

(9:47 pm IST)