Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સ્ટેરોઈડ-બ્લડ થિનર કોરોનાગ્રસ્ત દર્દી માટે જીવન બચાવનારી છે : નિષ્ણાતો

દેશમાં રેમડેસિવિયર ઈન્જેક્શનની ભારે અછત : સ્ટેરોઇડમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી પ્રોપ્રટી હોય છે, જ્યારે બ્લડ થિનર શરીરમાં લોહીના ગાઠા જામવા દેતું નથી, રેમડેસિવિયર કરતા આ દાવા વધુ અસરકારક

લખનૌ, તા. ૨૯ : કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનની ખૂબ અછત પડી રહી છે. જોકે હવે નિષ્ણાંતોએ જણાવ્યું કે રેમેડસિવિયર કરતા પણ વધુ સારી રીતે કેટલાક ખાસ સ્ટેરોઇડ અને બ્લડ થિનર કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓ માટે જીવન બચાવનાર નિવડી રહ્યા છે.

સ્ટેરોઇન્ડ અને બ્લડ થિનર એવા ગ્રુપની દવાઓ છે જેનો ઉપયોગ બીમારીઓના એક સમૂહની સારવાર માટે થાય છે. બંને ડ્રગ પોતપોતાની રીતે શરીરમાં મેડિકલ પ્રોબ્લેમ દૂર કરવા માટે કામ કરે છે. સ્ટેરોઇડમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી પ્રોપ્રટી હોય છે. જ્યારે બ્લડ થિનર શરીરમાં લોહીના ગાઠા જામવા દેતું નથી.

સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર પ્રો. આર. કે. ધિમને કે જેઓ ખૂબ ગંભીર દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે 'કોરોના વાયરસના જુદા જુદા સ્ટ્રેન આપણા શરીરના કોષો પર હુમલો કરે છે અને એવી સ્થિતિ પેદા કરે છે જેમાં શરીરમાં ઇન્ફ્લામેશન વધે અને લોહીના ગાઠા જામે. તેથી જો તેને સમયસર કાબૂમાં કરવામાં આવે તો દર્દીનું જીવન ગંભીર જોખમ હેઠળ આવી જાય છે. જેનાથી મલ્ટિ ઓર્ગન ફેલ્યોરની શક્યતા વધી જાય છે. અમે નોંધ્યું છે કે જ્યારે રેમડેસિવિયર બિમારીના સમયગાળાની લંબાઈને ઘટાડવામાં મદદ કરે છે ત્યારે સ્ટેરોઇડ અને બ્લડ થિનર દર્દીનો જીવ બચાવવામાં મદદ કરે છે.'

તેમણે કહ્યું કે રેમડેસિવિયર પાછળ લોકોની આંધળી દોટ અને તેના કારણે અછત સાવ નકામી છે. તેમણે લોકોને કહ્યું કે રેમડેસિવિયર ખૂબ ઓછા લોકોને સજેસ્ટ કરવામાં આવે છે અને તેના માટે ખોટી દોડાદોડ લોકોએ કરવી જોઈએ નહીં. 'તેમણે કહ્યું કે અમે સેન્ટર પર દર્દીની જરુરિયાત મુજબ તેને સ્ટેરોઇડ, બ્લડ થિનર આપીએ છીએ. જો વ્યાપક રીતે વાત કરવામાં આવે તો કોરોનાથી સ્વસ્થ થવા માટે અમારો સક્સેસ મંત્ર છે - સ્ટેરોઇડ, બ્લડ થિનર, સપોર્ટિવ કેર અને ઓક્સિજન થેરાપી અને સાથે એન્ટિબાયોટિકનું કવર આપવું જેથી બીજુ કોઈ સંક્રમણ થાય.

પ્રકારની સ્ટ્રેટેજી કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી ખાતે ફોલો કરવામાં આવે છે. કેજીએમયુના કોવિડ વોર્ડના ઇન્ચાર્જ ડો. હિમાંશુએ કહ્યું કે, 'સારવારમાં સ્ટેરોઇડનું મહત્વ ઘણું છે પરંતુ રેમડેસિવિયરનું પણ મહત્વ છે જોકે તેનો અર્થ નથી કે રેમડેસિવિયર મેળવાવા માટે આપણે આંધળી દોટ મૂકીએ.

સ્ટેરોઇડ કઈ રીતે દર્દીનો જીવ બચાવે છે તેના પર વાત કરતા પટેલ ચેસ્ટ ઇન્સિટ્યુટના પ્રો. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, 'જ્યારે કોરોના મહામારીનું સંક્રમણ વ્યક્તિ પર હુમલો કરે છે. ત્યારે વાયરસ ગળામાં પોતાની વસાહત જેવી કોલોની બનાવે છે. જ્યાંથી તે ધીરે ધીરે ફેંફસા તરફ જાય છે. જેના કારણે વાયરસને જવાબ આપવા માટે શરીર ઇન્ફ્લામેશનથી જવાબ આપે છે. જેથી વ્યક્તિના ફેંફસામાં રહેલી નસોને ઈરિટેટિંગ થાય છે અને તે કફ બહાર કાઢે છે. હવે વાયરસ અને ફેંફસાની લડાઈમાં કફના આવવાથી કોવિડ ન્યુમોનિયા થાય છે.

તેવામાં માણસના શરીરને જીતવા માટે સ્ટેરોઇડની અહીં જરુર પડે છે. પ્રો. ધીમને કહ્યું કે જ્યારે સંક્રમણ ફેંફાસમાંથી પસાર થાય છે ત્યારે સાયટોકિન તોફાન નામની  સ્થિતિ પેદા થાય છે. જે બીજા અવયવો જેવા કે કિડની, શ્રવણેન્દ્રિય, લિવર વગેરેને નુકસાન પહોંચાડે છે. સ્ટેરોઇડ અને બ્લ્ડ થિનરનું કોમ્બિનેશન શરીરમાં ઘુસેલા એલિયન વાયરસ સામે લડવામાં શરીરના કોષોને મદદ કરે છે.

જોકે નિષ્ણાંતોએ સાથે પોતાની જાતે સ્ટેરોઇડના ઉપયોગ પર ગંભીર ચેતવણી આપી છે. ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના ડો. પીકે ગુપ્તાએ કહ્યું કે 'સ્ટેરોઇડને કોઈ બી કોમ્પ્લેક્સની ગોળીની જેમ તમે ગમે ત્યારે ખાઈ શકો. તેના માટે જો પૂરતી તકેદારી સાથે લેવામાં આવે તો દર્દીને ખૂબ ગંભીર અસર થઈ શકે છે. તેમાં પણ જો વ્યક્તિ ડાયાબિટિઝ કે બીપીનો દર્દી હોય તો ગંભીર પરિણામ આવે છે.

તેમણે વધુમાં કહ્યું જેઓ હોમ આઈસોલેશનમાં તેમણે સતત પોતાના તાવ અને ઓક્સિજન લેવલને ચેક કરતા રહેવું જોઈએ. તેમજ જરુરિયાત જણાય ત્યારે ડોક્ટરનો સંપર્ક સાધીને તરત સલાહ સૂચનો લેવા જોઈએ.

(7:55 pm IST)