ભારતનાં સર્વોચ્ચ પદ માટેની રાષ્ટ્રપતિ ની ચુંટણી પણ થઈ ચુકી છે બિ નહરીફ ! : ૧૯૭૭માં નિ લમ રેદ્દી બન્યા હતા ભારતનાં પ્રથમ અને એક માત્ર બિનહરિફ રાષ્ટ્રપતિ
નિલમબેન સામે ભરાયેલ ૩૬ ફોર્મ પૈકી તમામ ફોર્મ રદ થતા રચાયો હતો ઈતિ હાસ : નિ લમબેને ૨૫ જૂલાઈ ૧૯૭૭ થી ૨૫ જૂલાઈ ૧૯૮૨ સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યુ
નવી દિ લ્લી તા.૨૮ : ભારતનાં બંધારણમાં સૌથી મોટું પદ રાષ્ટ્રપતિ નુ છે. જેને મેળવવા તમામ રાજકિયપષોએડિથી લઈ ચોટી સુધીનો જોર લગાડે છે. પરંતુ શુ તમને ખબર છે કે એક વખત રાષ્ટ્રપતિ ની ચુટણી પણ બિ નહરીફ થયેલ છે. જી..હા.. ૧૯૭૭માં નિ લમ સંજીવ રેદ્દી સામે આમ તો ૩૬ ફોર્મ ભરાયા હતા. જે પૈકી તમામ ફોર્મ રદ થતા નિ લમ રેદૃી બિ નહરિ ફ રીતે રાષ્ટ્રપતિ બન્યા હતા. અને તેમણે ૨૫ જૂલાઈ ૧૯૭૭થી ૨૫ જૂલાઈ ૧૯૭૨ સુધી આ પદ સંભાળ્યુ હતુ.
૧૯૭૭માં નિલમ સંજીવ રેડ્ડી સામે ૩૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંના બધાના ફોર્મ રદ્દ થતા તેવો બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. 1969માં યોજાયેલા પ્રેસિડેન્ટ ઇલેકશનમાં નિલમ સંજીવ રેડ્ડીને ખૂદ પોતાની કોંગ્રેસ પાર્ટી એ જ હરાવી દીધા હતા પરંતુ 1977માં ઉમેદવાર નહી ઉભો રાખીને બિન હરિફ ચુંટાવા દીધા હતા. ઇમરજન્સી ઉઠાવી લીધા પછીનો આ સમયગાળો કોગ્રેસ માટે અત્યંત ખરાબ હતો.
કોંગ્રેસે સત્તા ગુમાવેલી એટલું જ નહી ઇન્દેરા ગાંધી રાયબરેલી અને પુત્ર સંજય ગાંધી અમેઠી લોકસભા બેઠક પરથી હારી ગયા હતા. આવા સમયે રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં વિપક્ષ તરીકે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.એટલું જ નહી કેટલાકે અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતું છેવટે નિલમ સંજીવ રેડ્ડી કોઇ પણ વિરોધ વગર રાષ્ટ્રપતિ બન્યા હતા.
નિલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઇ 1977 થી 25 જુલાઇ 1982 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. નિલમ સંજીવ રેડ્ડીના કાર્યકાળમાં મોરારજી દેસાઇ,ચોધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1956 થી 1960 અને 1962 થી 1964 એમ વાર આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ રહયા હતા.
૧૯૫૨માં ભારતમાં પ્રથમ પ્રેસિડેન્ટ ઇલેકશન યોજાયું હતું