Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મુંબઇના કુર્લામાં મકાન હોનારતમાં ૧૯ના મરણ

મુંબઈ,તા. ૨૯: : અહીંના કુર્લા ઉપનગરમાં આવેલી નાઈક નગર સોસાયટીમાં ચાર-માળવાળા મકાનની એક વિંગ જમીનદોસ્‍ત થતાં ૧૯ જણના કરૂણ મરણ નિપજયા છે જયારે બીજા ૧૩ જણ ઘાયલ થયા છે. મકાન દુર્ઘટના ગઈ કાલે મધરાતની આસપાસના સમયે બની હતી.

મકાન બિસ્‍માર હાલતમાં હતું અને એમાંના રહેવાસીઓને મકાન ખાલી કરી દેવાની મહાનગરપાલિકા તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ રહેવાસીઓએ ત્‍યાં રહેવાનું ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો.  મકાનની એક વિંગ તૂટી પડ્‍યા બાદ બીજી વિંગને ખાલી કરી દેવામાં આવી હતી. તે વિંગ પણ બિસ્‍માર હાલતમાં જ છે.

(10:55 am IST)