Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઇમરાને તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા :કહ્યું -અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું બર્બાદ કરી નાંખ્યું

પાકિસ્તાનમાં 30 લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે

નવી દિલ્હી :  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાજીએ અફઘાનિસ્તાનમાં ખૂનની હોળી ખેલી રહેલા તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું જ બર્બાદ કરી નાંખ્યું. ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં 30 લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓમાં મોટાભાગના પશ્તૂન છે. આ એ જ જાતિ છે જે અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે.

(12:30 pm IST)