Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 21.896 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29.887 દર્દીઓ રિકવર થયા : વધુ 375 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.47.781 થયો :એક્ટીવ કેસ 2.75.681 થયા : કુલ કેસની સંખ્યા 3.37.15.049 થઇ

સૌથી વધુ કેરળમાં 11.196 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2844 કેસ, મિઝોરમમાં 1846 કેસ, તામિલનાડુમાં 1630 કેસ, આંધ્રપ્રદેશમાં 771 કેસ,પશ્ચિમ બંગાળમાં 708 કેસ, કર્ણાટકમાં 629 કેસ, ઓરિસ્સામાં 545 કેસ, આસામમાં 390 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 21.896 કેસ નોંધાયા છે. જ્યારે 29.887 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 21.896 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 375 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.47.781 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 21.896 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.37.15.049 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.75.681 થઇ છે છેલ્લા 24 કલાકમાં 29.887 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.29.78.557 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 11.699 કેસ,મહારાષ્ટ્ર્રમાં 2563 કેસ, તામિલનાડુમાં 1657 કેસ, આંધ્રપ્રદેશમાં 616 કેસ,મિઝોરમમાં 527 કેસ,કર્ણાટકમાં 50 કેસ નોંધાયા

(1:07 am IST)