Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભારતને ર ઓકટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો : નહીંતર હું સરયુમાં જળ સમાધી લઇશ

જગદગુરૂ પરમહંસજીએ કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યુ : તેમણે મુસલમાન અને ખ્રીસ્તીઓની નાગરિકતા ખતમ કરવાની પણ માંગ કરી

અયોધ્યા, તા. ર૯ : જગદગુરૂ પરમહંસ આચાર્ય મહારાજે કેન્દ્ર સામે માંગ કરી છે કે ર ઓકટોબર સુધીમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો અન્યથા તેઓ જળ સમાધી લઇ લેશે. ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારે મુસલમાન અને ખ્રીસ્તીઓની નાગરીકતા પણ રદ કરવી જોઇએ તેમ જણાવેલ. છાવણી પીઠાધીશ્વર જગદગુરૂએ વેદમંત્રો સાથે કફન પૂજન કરેલ.   

જગદગુરૂ પરમહંસજીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે યુપીમાં વિધાનસભા ચુંટણી નજીક છે અને રાજકીય તીર્થક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા ખરીદેલ જમીન ઉપર સવાલો ઉઠાવતા પરમહંસજીએ કરોડ રૂપિયાના માનહાનીનો દાવો કરવાનું પણ જણાવેલ ઓકટોબરે અનેક હિન્દુ સંગઠનો પરમહંસજીના સમર્થનમાં હિન્દુ સનાતન ધર્મ સંસદનું આયોજન કરનાર છે.

(3:22 pm IST)