Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નોટબંધી અને જીએસટીએ લોકો અને નાના વેપારીઓની કમર ભાંગી નાખી: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું

ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં જનસભાને સંબોધિત કરી

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલ નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ સામાન્ય લોકોની, ખાસ કરીને નાના વેપારીઓની કમર તોડી નાખી છે.  ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ ગાંધી ઉજ્જૈનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.  તેમના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 'ભારત જોડો' યાત્રા આગળ વધી રહી છે.  "નોટબંધી (૨૦૧૬માં અમલી બની) અને જીએસટી એ લોકોની, ખાસ કરીને નાના ઉદ્યોગોની કમર તોડી નાખી છે," તેમણે કહ્યું.

કોંગ્રેસના સાંસદે કહ્યું કે "મેં ભારત જોડો યાત્રામાં કૂચ કરીને કોઈ તપસ્યા કરી નથી. કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન લાંબા અંતર સુધી ચાલતા મજૂરો, લોકો માટે અનાજનું ઉત્પાદન કરતા ખેડૂતો અને નાના વેપારીઓ દેશના વાસ્તવિક 'તપસ્વી' છે." તેણે કીધુ.  ગાંધીએ કહ્યું કે કમનસીબે તે લોકોને લાભ નથી મળી રહ્યો અને માત્ર ચાર-પાંચ ઉદ્યોગપતિઓને જ લાભ મળી રહ્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, "નાના દુકાનદારો અને વેપારીઓ દેશમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે, પરંતુ તેમની મહેનતને માન્યતા આપવામાં આવતી નથી. તેમના ખિસ્સામાંથી પૈસા છીનવીને ચાર-પાંચ ઉદ્યોગપતિઓના હાથમાં છોડી દેવામાં આવે છે."મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું કે આવી છેતરપિંડીઓએ સખત મહેનત કરવા છતાં યુવાનોને રોજગારથી વંચિત રાખ્યા છે.  "મીડિયા લોકોને વાસ્તવિકતા બતાવવા માંગતો હતો પરંતુ તેના હાથ બંધાયેલા હોવાથી તે તેમ કરી શક્યું ન હતું," તેમણે કહ્યું.

(11:59 pm IST)