Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

બ્રેઇન ટયુમરની તબીબી સારવાર કારગત ન નિવડતા આજે અભિનેત્રી રાખી સાવંતની માતાજીનું મુંબઇ ખાતે અવસાન - પરિવારજનો મિત્રો શોકમાં ગરકાવ થયા

નવી દિલ્હીઃ  બ્રેઈન ટ્યુમરને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ રાખી સાવંતની માતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે ઘણા દિવસોથી રાખી સાવંત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

જોકે બ્રેઈન ટ્યુમરની તબીબી સારવાર કારગત ન નિવડતા આજે તેણીએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા છે. જેને પગલે રાખી સાવંત સહિત પરિવારજનો અને ફેન્સ શોકના સાગરમાં ડૂબ્યા છે.

લોકોને મનોરંજન કરવાતી રાખી સાવંત માટે આજનો દિવસ એટલે કે 28 જાન્યુઆર દુઃખદ સાબિત થયો છે. કારણ કે અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતનું આજે અવસાન થયું છે. ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં બ્રેઈન ટ્યુમર સામેની લડતમાં આજે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. મહત્વનું છે કે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ જયા સાવંતના નિધન અંગે માહિતી આપી છે.

(11:29 pm IST)