Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમેઠીમાં સ્મૃતિ ઇરાનીનું ઘર બનશેઃ પુત્રએ કર્યુ ભુમિપુજન

અમેઠી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પોતાના મતક્ષેત્ર અમેઠીમાં પોતાના વાયદા મુજબ અમલ કરતા ગૌરીગંજમાં પોતાનું ઘર બનાવવા જઇ રહયા છે. ગઇકાલે તેમના મકાનનું ભુમિ પુજન પુત્ર જૌહર ઇરાનીએ કર્યુ હતુ. સ્મૃતિનું ઘર અમેઠીથી ૩ કિ.મી. દુર મેદન મવઇ ગામમાં બનનાર છે. સાંસદ બન્યા બાદ તેમણે અહીં રહેવાનો ચુંટણીમાં વાયદો કરેલ.

ર૦૧૯ પહેલા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી માટે અમેઠીના મુશીંગજનું ગેસ્ટ હાઉસ ઘર જેવું જ હતુ. રાહુલની હાર બાદ હવે અહીં સાફ સફાઇ પણ નથી થતી રૂમ બંધ છે.

(3:15 pm IST)