Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટના સમર્થકો દ્વારા દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય સામે સૂત્રોચાર : ફરી રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવા ઉગ્ર માંગ

નવી દિલ્હી તા.૩૦:રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટના સમર્થકો દ્વારા દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય સામે સૂત્રોચાર  કર્યા હતા અને ફરી રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવા ઉગ્ર માંગ કરી હતી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એઆઇસીસી કાર્યાલય ઉપર પહોંચ્યા ત્યારે સચિન પાયલોટના સમર્થકોએ નારા લગાવ્યા હતા.

        સચિન પાયલોટના સમર્થકોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પણ યુવા છે અને ભારતનું ભવિષ્ય યુવાઓ ના હાથમાં છે જ્યાં સુધી યુવા નેતાને કોંગ્રેસ અધ્યક્ષ પદ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવે સચિન પાયલોટ યુવા નેતા છે અને તેઓ વિવિધ સમસ્યાને સારી રીતે હલ કરી શકે છે.

        આ અગાઉ અશોક ગહેલોત સોનિયા ગાંધીને મળ્યા હતા અને બંને વચ્ચે દોઢ કલાક મુલાકાત થઈ હતી ત્યારબાદ તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય સોનિયા ગાંધી એક બે દિવસમાં કરશે.

   
(4:56 pm IST)