Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયાઃ ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના ૫૦ ટકા હજુ પણ કેરળમાં

નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં કોરોનાના કેસ દ્યટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૩માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૫૬માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયા છે અને ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦,૧૧૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા ઘટીને ૫૪૪ દિવસના નીચલા સ્તર ૧,૦૦,૫૪૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૩૮૨ કેસ નોંધાયા છે અને ૫૯ સંક્રમિતોના મોત થયા છે.

સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. 

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં ૧૨૩,૨૫,૦૨,૭૬૭ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૮,૮૦,૫૪૫ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૦,૧૨,૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૭,૬૨,૨૬૮ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ ૩ કરોડ ૪૫ લાખ ૮૭ હજાર ૫૨૨, કેસ ડિસ્ચાર્જઃ ૩ કરોડ ૪૦ લાખ ૧૮ હજાર ૨૯૯, એકિટવ કેસઃ ૧ લાખ ૫૪૩, કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૬૮ હજાર ૯૮૦.

(11:20 am IST)