Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આવતા ચાર મહિનામાં કેન્દ્ર સરકાર ૫૦ થી ૫૫ કરોડ કોરોના વેક્સિન ડોઝ મેળવી લેશે: રસીકરણમાં વીજળીક ઝડપ લાવવા નિર્ધાર

જુલાઈ મહિનાના અંત સુધીમાં ભારત સરકાર ૨૦ થી ૨૫ કરોડ કોરોના વેકસીનના ડોઝ મેળવી લેવાનો ટાર્ગેટ ધરાવે છે. અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ૩૦ કરોડ ડોઝ મેળવી લેશે. દરમિયાન સીરમ ઇન્સ્ટીટયુટ  આવતા મહિને એટલે કે જૂન મહિનામાં ભારત સરકારને દસથી બાર બાર કરોડ કોરોના વેકસીનના ડોઝ પૂરા પાડશે તેમ જાણવા મળે છે. આમ આગામી મહિનાઓમાં દેશમાં વીજળીની ઝડપે રસીકરણ હાથ ધરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. રાજ્ય સરકારોને પણ તેમને જરૂરી ડોઝ મેળવી લેવા જણાવાયું છે.

(12:00 am IST)