Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બીજા વિશ્વયુધ્ધને ૮ દાયકા પુરા થઇ ચૂકયા છે

બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ગુમ થયેલા પોતાના ૪૦૦ સૈનિકોની ગુજરાતમાં શોધખોળ કરશે અમેરિકા : બીજા વિશ્વ યુદ્ઘ, કોરિયાઇ યુદ્ઘ, વિયતનામ યુદ્ઘ, શીત યુદ્ઘ અને ઇરાક અને ફારસની ખાડી યુદ્ઘો સહિત અમેરિકાના ગત સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોની શોધીને તેમની ઓળખ કરી તેમને પરત લાવવાનો પ્રયત્ન કરશે

અમદાવાદ,તા. ૩૧: અમેરિકાના રક્ષા વિભાગે દ્વિતિય વિશ્વ યુદ્ઘ દરમિયાન ભારતમાં ગુમ પોતાના ૪૦૦થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાનો પ્રયતન તેજ કરી દીધા છે. જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયૂ) સાથે હાથ મિલાવ્યો છે.

એનએફએસયૂના વિશેષજ્ઞ અમેરિકાના રક્ષા વિભાગ અંતગર્ત કામ કરનાર એક અન્ય સંગઠન ડીપીએએની મદદ કરશે. ડીપીએએ એવું સંગઠન છે જે યુદ્ઘ દરમિયાન ગુમ અને બંદી બનાવવામાં આવેલા સૈનિકોના લેખા-જોખા રાખે છે.

એનએફએસયૂમાં ડીપીએએની મિશન પ્રોજેકટ મેનેજર ડો.ગાર્ગી જાનીએ કહ્યું કે 'અમેરિકાના લાપતા સૈનિકોના અવશેષોને શોધવામાં સંભવ મદદ કરવામાં આવશે.'

ડો. ગાર્ગીએ કહ્યું કે એજન્સીની ટીમો બીજા વિશ્વ યુદ્ઘ, કોરિયાઇ યુદ્ઘ, વિયતનામ યુદ્ઘ, શીત યુદ્ઘ અને ઇરાક અને ફારસની ખાડી યુદ્ઘો સહિત અમેરિકાના ગત સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોની શોધીને તેમની ઓળખ કરી તેમને પરત લાવવાનો પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું કે 'બીજા વિશ્વ યુદ્ઘ, કોરિયાઇ યુદ્ઘ, વિયતનામ યુદ્ઘ અને શીત યુદ્ઘ દરમિયાન અમેરિકાના ૮૧,૮૦૦ સૈનિક ગુમ થયા છે, જેમાંથી ૪૦૦ ભારતમાં ગુમ થયા હતા. ડો. ગાર્ગીએ કહ્યું કે એનએફએસયૂ ડીપીએએ તેમના મિશનમાં વૈજ્ઞાનિક અને લોજિસ્ટિક રૂપથી દરેક પ્રકારની મદદ કરશે.

(10:04 am IST)