Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

યુપીના શોહરતગઢના કોરોના સંક્રમિતનો મૃતદેહ

સપ્તી નદીમાં ફેંકી દેતા હોય તેના વિડીયોથી ખળભળાટ

બલરામપુરઃ કોરોનાના કપરા કાળમાં માનવતાને શર્મસાર કરતા અનેક કીસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ઉતરપ્રદેશના બલરામપુર જીલ્લામાં કોરોના સંક્રમિત વ્યકિતના મૃત્યુ બાદ તેના મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકવાની ઘટનાનો વીડીયો સામે આવતા ચકચાર મચી છે. રાપ્તી નદી ઉપર બનેલ સિસઇ ઘાટ પુલ ઉપરની હોવાનું જણાવાય રહ્યું છે મુખ્ય હેલ્થ ઓફીસર ડો. વિજય બહાદુરસિંહે જણાવેલ કે આ મૃતદેહ શોહરતગઢના પ્રેમનાથ મિશ્રાનો છે. ર૮મીએ ઇલાજ દરમિયાન પ્રેમનાથનું અવસાન થતા મૃતદેહ પરિજનોને સોંપવામાં આવેલ કે પ્રેમનાથ મિશ્રાના મૃતદેહને ભત્રીજા સંજયકુમાર સહીતનાએ જ નદીમાં ફેંકી દીધેલ દેહાત પોલીસ સ્ટેશને કેસ નોંધી વધુ કાર્યવાહી કરી છે.

(11:40 am IST)