Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બાબા રામદેવનું મોટુ નિવેદન : કહ્યું - મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું સન્માન :વિવાદ સમાપ્ત ઈચ્છીએ છીએ

મારૂ અભિયાન એલોપથી તથા શ્રેષ્ઠ ડોક્ટરો વિરુદ્ધ નથી.પણ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ છે

નવી દિલ્હી : બાબા રામદેવનું મોટુ નિવેદન આવ્યુ છે. રામદેવે કહ્યુ કે, અમારૂ અભિયાન એલોપથી તથા શ્રેષ્ઠ ડોક્ટરો વિરુદ્ધ નથી. અમે મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું સન્માન કરીએ છીએ. અભિયાન તે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ છે જે બે રૂપિયાની દવા 2000માં વેચે છે અને બિનજરૂરી ઓપરેશન તથા ટેસ્ટ અને બિનજરૂરી દવાનો ધંધો કરે છે. રામદેવે કહ્યુ કે, અમે આ વિવાદને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.

  એક અન્ય ટ્વીટ કરતા યોગ ગુરૂ રામદેવે લખ્યુ છે- જો એલોપથીમાં સર્જરી તથા લાઇફ સેવિંગ ડ્રગ્સ છે તો બાકી 98% બીમારીઓનું યોગ-આયુર્વેદમાં સ્થાયી સમાધાન છે, અમે ઇન્ટીગ્રેટેડ પેથીના પક્ષમાં છીએ. યોગ-આયુર્વેદને સ્યૂડો સાયન્સ અને અલ્ટરનેટિવ થેરેપી કરી મજાક ઉડાવવા કે નીચા દેખાડવાની માનસિકતાને સહન કરીશું નહીં.

(10:40 pm IST)