Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

તમિલનાડુમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું : સીએમ પલાનીસ્વામીની જાહેરાત

દરેક પુજા સ્થળ, હોટલ અને રિસોર્ટ ખોલવાની મંજુરી

ચેન્નઈ :એક તરફ દેશ અનલોક થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધીમે-ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે બીજીતરફ તમિલનાડુંમાં લોકોડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આ અંગે જાહેરાત કરી છે.

તમિલનાડુમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સીએમ પલાનીસ્વામીએ જાહેરાત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહીનામાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન નહી હોય. તેની સાથે જ આંતર જિલ્લની મુસાફરી માટે ઈ-પાસ સિસ્ટમને પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક પુજા સ્થળ, હોટલ અને રિસોર્ટ ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે

(8:23 am IST)