Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઈન્ટરનેશનલ ફ્લાઈટો પરની રોક ૩૦ સપ્ટે. સુધી લંબાવાઇ

કોરોના મહામારી સંદર્ભે નિયંત્રણ લદાયા : કાર્ગો ફ્લાઈટ્સ તેમજ ડીજીસીએ દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં

નવી દિલ્હી, તા. ૩૧ : કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે સોમવારકે કેટલાક નિર્દેશ જાહેર કર્યા હતા. નવા નિયમો અનુસાર ૩૦ સપ્ટેમ્બરની રાતના ૧૧.૫૯ વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. ડીજીસીએએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ ડીજીસીએ દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં.

નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૃટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૫૨૨૧૯૩૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૪૬૩૮૫ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ૧૬૬૧૮૧૬૩ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૭૫૭૩૮૭ કેસ એક્ટિવ છે.

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૭૮૫૧૨ કેસ નોંધાતા કુલ આંકડો ૩૬૨૧૨૪૫ સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને ૨૭૭૪૮૦૧ સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૪૪૬૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૮૧૯૭૫ એક્ટિવ કેસ છે.

(9:19 pm IST)