Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પશ્ચિમ બંગાળે યુકેથી આવતી ફલાઇટ્સ સસ્પેન્ડ કરી

નવી દિલ્હી,તા.૩૧: દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા વધવાથી ગભરાટ ચાલુ રહ્યો છે. આજે કેરળમાં ઓમિક્રોનના વધુ ૯ કેસ નોંધાયા છે જયારે જયપુરમાં ચાર જણને ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે. ભારતમાં આ વેરિઅન્ટનો શિકાર બનેલાઓની સંખ્યા વધીને ૯૬૧ થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૩૨૦ ઓમિક્રોન દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની બાબતમાં ટોચના પાંચ રાજયોના નામ જાહેર કર્યા છે. કેરળનો હિસ્સો ૨૫.૬૬ ટકા છે જયારે મહારાષ્ટ્રનો ૨૧.૩૩ ટકા, કર્ણાટકનો ૯.૪૭ ટકા, પશ્ચિમ બંગાળનો ૯.૩૮ ટકા અને તામિલનાડુનો ૮.૦૮ ટકા છે.

પશ્ચિમ બંગાળ સરકારે આદેશ બહાર પાડ્યો છે કે બ્રિટનથી કોલકાતા આવતી તમામ ડાયરેકટ ફ્લાઈટ્સને ૩ જાન્યુઆરીથી સસ્પેન્ડ કરાશે. કોરોના સંક્રમણ માટે બિન-જોખમી દેશોમાંથી આવનારા લોકોએ પશ્ચિમ બંગાળમાં આવી પહોંચ્યા બાદ એમના ખર્ચે કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવી પડશે. એરલાઈનો વિદેશથી આવનાર કુલ પ્રવાસીઓમાંથી અટકળ અનુસાર ૧૦ ટકાની RT-PCR પદ્ઘતિથી ટેસ્ટ કરશે.

(10:41 am IST)