અધધ....: મહિલાઓ ઉપર બળાત્કાર કરવા બદલ 17 હજાર કેદીઓ જેલમાં : ત્રણ કે તેથી વધુ વખત બળાત્કાર કરનાર કેદીઓની સંખ્યા પણ સેંકડોમાં : આવું કેમ થાય છે ? : દિલ્હીની તિહાર, રોહિણી અને માંડવલી જેલમાં બંધ કેદીઓના માનસનો થઇ રહેલો અભ્યાસ
ન્યુદિલ્હી : દેશમાં મહિલાઓ ઉપર બળાત્કાર કરનાર કેદીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહેલો જોવા મળે છે.
આવું કેમ થાય છે તે જાણવા દિલ્હીની તિહાર, રોહિણી અને માંડવલી જેલમાં બંધ કેદીઓના માનસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
હાલની તકે દેશમાં મહિલાઓ ઉપર બળાત્કાર કરવા બદલ 17 હજાર કેદીઓ જેલમાં છે. જેમાં બળાત્કારીને મદદ કરવા બદલ પાંચ મહિલાઓ પણ જેલવાસ ભોગવી રહી છે.બળાત્કારીઓએ નાત ,જાત ,કે ઉંમરના બાદ વિના મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા છે.અમુક કેદીઓ તો એવા છે જેઓએ પેરોલ ઉપર છૂટ્યા પછી પણ બે થી ત્રણ કે વધુ વખત બળાત્કાર કર્યા છે.
બળત્કારીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ દિલ્હીની તિહાડ જેલ ત્રણથી પાંચ માળની કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થતા તે માટે તૈયારી ચાલી રહી છે.તેવું એન..ટી.દ્વારા જાણવા મળે છે.