મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

નરેન્દ્રભાઈને જે પણ બ્રાન્ડની વેક્સિન આપવામાં આવી હોય તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવા કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમની માગણી:

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી રાષ્ટ્ર બીજા રસીકરણ ડ્રાઇવ માટે તૈયાર થઈ ગયું છે ત્યારે કોંગ્રેસે વિકાસના રાજકારણીકરણનો આશરો લીધો.  કોંગ્રેસના નેતા અને તમિળનાડુના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પીએમ મોદીને અપાયેલી રસીની બ્રાન્ડનો સંપૂર્ણ ખુલાસો કરવાની માંગ કરી છે.  ટ્વિટર પર કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા રસી લેવાનો નિર્ણય લોકોને આત્મવિશ્વાસ આપશે, પરંતુ તેમણે રસીની બ્રાન્ડની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવી જોઈએ.  રાજકીય માઇલેજ મેળવવાનો કોઈપણ પ્રયાસ બેક ફાયર થશે તેમ પણ કાર્તિએ કહ્યું હતું., જો કે, એવું સામે આવ્યું કે વડા પ્રધાને કોવાક્સિનનો ડોઝ લીધો હતો, વિરોધ પક્ષોએ આ વેકસીનને લઈને સવાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ભારત બાયોટેકની રસી કોરોના રસી છે.

સંખ્યાબંધ નેતાઓએ બાયોટેક રસીને એવા તબક્કે મંજૂરી આપવા માટે સરકારને સવાલ ઉઠાવ્યા હતા જ્યારે તેના ત્રીજા તબક્કાની ટ્રાયલના ટેસ્ટિંગના પરિણામો હજી બહાર આવ્યા ન હતા.  અખિલેશ યાદવે તેને "ભાજપની રસી" ગણાવતાં સમાજવાદી પાર્ટી સૌથી વધુ અવાજ ઉઠાવવાવાળો પક્ષ બન્યો હતો, જ્યારે કોંગ્રેસના અનેક નેતાઓએ માંગ કરી હતી કે કેન્દ્રીય પ્રધાનો સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ નહીં પણ ભારત બાયોટેકની કોવાક્સિન રસી લે, જે હજી અંતિમ પરિક્ષણના તબક્કામાં છે.

(12:08 am IST)