મોદી સરકારે વેપારીઓને આપી રાહત :હવે 5 કરોડથી વધુના ટર્નઓવરવાળાને CA પાસેથી ઓડિટ કરાવાની જરૂર નહીં પડે
બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આ અંગે સૂચનાઓ જારી કરી
નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર સુધીના વાર્ષિક વેપારીઓને છોડી અન્ય તમામ એકમો માટે જારી વાર્ષિક રિટર્ન (GSTR-9/9A) દાખલ કરવું ફરજિયાત છે.
બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આ અંગે સૂચનાઓ જારી કરી છે.
આ સિવાય 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GSTR-9C ફોર્મમાં સમાધાનની વિગતો રજૂ કરવી જરૂરી હતી. આ વિગતો ઓડિટ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચકાસવામાં આવે છે.
CBICએ એક નોટિફિકેશન દ્વારા GSTના નિયમોમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ વાર્ષિક રિટર્ન સાથે સ્વ-પ્રમાણિત સમાધાન વિગતો રજૂ કરવી પડશે. તેના માટે CA પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.
હકીકતમાં સરકારે વ્યવસાયિક રીતે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી જીએસટી ઓડિટની જરૂરિયાતને સમાપ્ત કરી છે. હવે કરદાતાએ સ્વ-ચકાસણી કરીને વાર્ષિક રિટર્ન અને સમાધાનની વિગતો રજૂ કરવી પડશે.
તેમણે જણાવ્યું કે તેનાથી હજારો કરદાતાઓને અનુપાલન મોરચે રાહત મળશે પરંતુ વાર્ષિક રિટર્નમાં ઇરાદાપૂર્વક અથવા અજાણતા ખોટી વાતોનું જોખમ વધશે.