પાકિસ્તાનની વધુ એક આડોડાઈ : ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપશે કામચલાઉ પ્રાંતનો દરજ્જો: ભારતનો સખ્ત વિરોધ
ગિલગિટ-બાલ્ટિસ્તાનની સુપ્રીમ એપેલેટ કોર્ટને નાબૂદ કરીને ક્ષેત્રના ચૂંટણી પંચને પાકિસ્તાન ચૂંટણી પંચ સાથે મર્જ કરી દેવાશે
નવી દિલ્હી : પાકિસ્તાને વધુ એક વખત ભારત વિરુદ્ધ આડોડાઈ કરતા ગિલગિટ-બાલ્ટિસ્તાને પોતાના કામચલાઉ પ્રાંતનો દરજ્જો આપવા માટે કાયદો નક્કી કર્યો છે તેમજ તો અમલ કરવાની તૈયારી કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારતે અગાઉ પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે.
આ વિસ્તારને ગેરકાયદે તેમજ બળપૂર્વક પચાવીને તેના પર અધિકાર જમાવવાનો પાકિસ્તાન સરકાર કે તેની ન્યાયપ્રણાલીને કોઈ અધિકાર રહેતો નથી તેવું ભારતે અગાઉ જણાવ્યું હતું.
ગિલ્ગિટ-બાલ્ટિસ્તાન ભૌગોલિક રીતે ઘણું મહત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં ચાઈના-પાકિસ્તાન આર્થિક કોરિડોર આવેલો હોવાથી તે ચીન અને પાક. માટે ધોરી નસ સમાન છે.
એક એહવાલ અનુસાર, ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત કાયદા અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનની સુપ્રીમ એપેલેટ કોર્ટને નાબૂદ કરીને ક્ષેત્રના ચૂંટણી પંચને પાકિસ્તાન ચૂંટણી પંચ સાથે મર્જ કરી દેવામાં આવશે. કાયદા મંત્રાલયના સૂત્રોના મતે 26માં બંધારણીય સંશોધન ખરડાના શિર્ષકથી ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ રજૂ કરાયું હતું. પ્રસ્તાવિત કાયદામાં જણાવ્યું છે કે, આ ક્ષેત્ર સાથે જોડાયેલી સંવેદનશીલતાને લીધે તેને કામચલાઉ પ્રાંતનો દરજ્જો આપવામાં આવ