મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

ભારતના પૂર્વરાષ્‍ટ્રપતિ ભારતરત્‍ન પ્રણવ મુખર્જીના નિધનથી ઉંડા શોકમાં ડૂબ્‍યુ બોલીવુડ

ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ ભારતરત્‍ન પ્રમણવ મુખરજી હવે આ દુનિયામાં નથી રહ્યા એમનુ ૮૪ વર્ષની ઉમરમાં નિધન થયુ મસ્‍તિષ્‍કની સફળ સર્જરી પછી એમના ફેફસામાં સંક્રમણ ફેલાયુ હતું. એમના નિધન પર રાજનેતાઓ ઉપરાંત બોલીવુડ સિતારાઓએ પણ દુખ વ્‍યકત કર્યુ અને આખરી શ્રધ્‍ધાંજલી આપી.

અભિનેતા અજય દેવગણએ ટવીટર પર પ્રણવ મુખરજીને ટવિટ કરી લખ્‍યુ ભારતએ એક મહાન અને સમ્‍માનિત નેતા ગુમાવ્‍યા અભિનેતા રણદીપ હુડાએ ટવિટમાં લખ્‍યુ વૈચારિક અને રાજનીતિક રીતે સમ્‍માનિત એક સાચા રાજનેતાની રાષ્‍ટ્રને ખોટ પડી અભિનેતા રીતેશ દેશમુખએ ઉંડુ દુખ વ્‍યકત કર્યુ ભારત માટે એક મોટુ નુકશાન વરૂણ ધવનએ દુખ વ્‍યકત કર્યુ અભિનેત્રી રવિના ટંડનએ શોક વ્‍યકત કર્યો અને શ્રધ્‍ધાંજલિ આપી.

(12:00 am IST)