News of Tuesday, 1st September 2020
૨૩ દિવસમાં ૩૮૨ મોત
કાળનું બીજુ નામ કોરોનાઃ રાજકોટમાં વધુ ૨૧ના મોત
રાજકોટ તા. ૧: કાળનું બીજુ નામ એટલે કોરોના...રોજબરોજ લોકોના જીવ ભરખી જતો કોરોના સતત અવિરત આગળ વધી રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે ૧૯ દર્દીઓના શ્વાસ કોરોનાની સારવાર દરમિયાન થંભી ગયા હતાં. આજે વધુ ૨૧ દર્દીઓના મોત થયા છે. સિવિલ કોવિડ સેન્ટરમાં ૧૯ અને ખાનગી હોસ્પિટલમાં ૨ દર્દીના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે
(11:20 am IST)