મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

પ્રણવદાને મારા પ્રણામ, હૃદયની શ્રદ્ધાંજલી : પૂ. મોરારીબાપુ

(વિપુલ હિરાણી) ભાવનગર : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીનું દુઃખદ નિધન થતાં પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલી અર્પતા કહ્યું કે આપણા રાષ્ટ્રના પૂર્વ રાષ્ટ્રપતિજી ભારત રત્ન પરમ આદરણીય પ્રણવદાની વિદાયના સમાચાર મળ્યા. એમના નિર્વાણને મારા પ્રણામ ! હૃદયની શ્રદ્ધાંજલિ. એમના પરિવારજનોને દિલસોજી પાઠવું છું. રામ સ્મરણ સાથે મોરારીબાપુ ચિત્રકૂટધામ.

(11:24 am IST)