ભગવંત માનના નિવાસ બહાર મજૂર સંગઠને કર્યું વિરોધ પ્રદર્શન: પોલીસે કર્યો લાઠીચાર્જ
મનરેગા હેઠળ ખેત મજૂરોના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ
પંજાબ પોલીસે સંગરુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહેલા મજૂર સંઘના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. કાર્યકર્તાઓ તેમની વિવિધ માંગણીઓને લઈને વિરોધ દર્શાવતા મુખ્યમંત્રી આવાસ તરફ જઈ રહ્યા હતા. કામદારો મુખ્યત્વે વેતન વધારવાની માંગ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા કામદારો અને ટ્રેડ યુનિયનના સભ્યોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
ઘટનાસ્થળના ફૂટેજમાં પોલીસને ધ્વજ લહેરાવતા અને સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓને રોકતા જોવા મળ્યા હતા. સાંઝા મઝદૂર મોરચાના ખેડૂતોએ આજે પંજાબના સંગરુરમાં મુખ્યમંત્રી ભગવંત માનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ લઘુત્તમ દૈનિક વેતન વધારીને રૂ.700 કરવાની માંગ કરી રહ્યા હતા. વિરોધીઓ મનરેગા હેઠળ ખેત મજૂરોના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વિરોધ દરમિયાન પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરી તેમને વિખેર્યા હતા.
પૂર્વ-જાહેર વિરોધ આજે સવારથી શરૂ થયો હતો. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ પટિયાલા બાયપાસ પર એકઠા થયેલા દેખાવકારોએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ શરૂ કરી હતી. આ પછી પોલીસે બળપ્રયોગ કર્યો.
અગાઉ આ ખેતમજૂરોએ ઓક્ટોબરમાં 19 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે તેમની માંગણીઓ લેખિતમાં સ્વીકાર્યા બાદ મજૂરો ખેડૂત આંદોલન પાછું ખેંચવા સંમત થયા હતા.
મુખ્યમંત્રી ભગવંત માન પશ્ચિમી રાજ્ય ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે. સંગરુરમાં મુખ્યમંત્રી માનના આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે