મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈની તુલના ગુજરાત અને રાજસ્થાન સાથે કરવા બદલ માફી માંગી
મહારાષ્ટ્રના મહાન સંતોની પરંપરામાં, આ નમ્ર રાજ્ય સેવકને માફ કરીને, આપનું વિશાળ હૃદય બતાવો : ભગતસિંહ કોશ્યારી
મુંબઈ તા.01: મુંબઇમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવશે તો મુંબઇ દેશની આર્થિક રાજધાની નહી રહે. એવાં પોતાના વિવાદાસ્પદ વિધાન બદલ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી છે. તેમણે કહ્યું - મહારાષ્ટ્રના મહાન સંતોની પરંપરામાં, આ નમ્ર રાજ્ય સેવકને માફ કરીને, આપનું વિશાળ હૃદય બતાવો.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું, "કદાચ મેં જાહેર સમારંભમાં મુંબઈના વિકાસમાં અમુક સમુદાયોના યોગદાનની પ્રશંસા કરવામાં મારા તરફથી કેટલીક ભૂલ કરી છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતના વિકાસમાં દરેકનું વિશેષ યોગદાન છે. આજે દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, ખાસ કરીને સંબંધિત રાજ્યની ઉદારતા અને દરેકને સાથે લઈને ચાલવાની ઉજ્જવળ પરંપરાને કારણે.'
તેમણે કહ્યું, "છેલ્લા લગભગ ત્રણ વર્ષમાં મને મહારાષ્ટ્રના લોકોનો પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું સન્માન વધારવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પરંતુ ઉક્ત ભાષણમાં મારાથી અજાણતાં કોઈ ભૂલ થઈ ગઈ છે, તો પછી આ ભૂલને મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યની તિરસ્કાર તરીકે લેવાની કલ્પના પણ કરી શકાતી નથી. મહારાષ્ટ્રના મહાન સંતોની પરંપરામાં, આ નમ્ર રાજ્ય સેવકને માફ કરીને, આપનું વિશાળ હૃદય બતાવો.'
પાત્રા ચાલી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે મુંબઈમાં સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને લગભગ 9 કલાકની પૂછપરછ બાદ શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે સંજય રાઉત વતી અશોક મુંદરગી અને ED વતી હિતેન વેણેગાંવકરે કોર્ટમાં દલીલો કરી હતી.
EDના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતે એક પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર રૂ. 1.6 કરોડના લાભાર્થી હતા.