News of Tuesday, 2nd August 2022
હર ઘર તિરંગા : રાષ્ટ્રધ્વજ બનાવવાનું કાર્ય પૂરજોશમાં
દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસરે હર ઘર તિરંગા અભિયાનની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. અભિયાન હેઠળ દેશભરના બજારોમાં તિરંગાની માંગને પુરી કરવા અમદાવાદમાં ૭ હજાર સીલાઇ મશીન કાર્યરત છે. અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના દરેક ઘરમાં તિરંગો લહેરાવવાનો કાર્યક્રમ છે. નરેન્દ્રભાઇએ હર ઘર તિરંગા અભિયાન અંગે લોકોને પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજન ફરકાવાની અપીલ કરી છે.
(10:57 am IST)