News of Tuesday, 2nd August 2022
રક્ષાબંધન પર રજા જાહેર કરવા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચીફ જસ્ટિસને વિનંતી : સાથી ન્યાયધીશો સાથે ચર્ચા કરી નિર્ણય જણાવીશ તેવી સીજેઆઈ એન.વી.રમણાની ધરપત
ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાને "રક્ષાબંધન" પર રજા જાહેર કરવા વિનંતી કરી છે.
સિંહે કહ્યું, "બાર તરફથી વિનંતી છે. કોર્ટ 11 ઓગસ્ટે ખુલ્લી રાખવાને બદલે 13 ઓગસ્ટ એટલે કે શનિવારે ખુલ્લી રાખવામાં આવે."
CJI NV રમણાએ કહ્યું, "હું મારા સાથી ન્યાયાધીશો સાથે ચર્ચા કરીશ કે શું તેઓ તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.
(6:30 pm IST)