મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

તેલંગાણામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવી શક્યતા : રાજ ગોપાલે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું !

જો રાજ ગોપાલ પાર્ટી છોડે તો મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકોને પોતાની સાથે લઈ જઈ શકે : સૂત્રો

તેલંગાણા તા.02 : તેલંગાણા કોંગ્રેસમાં ફરી ભંગાણનાં એંધાણ સામે આવી રહ્યા છે. તેલંગાણામાં રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઝડપી કરી રહ્યા છે. જે વચ્ચે મળતા અહેવાલો મુજબ, એક વરિષ્ઠ નેતાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો તેઓ પાર્ટી છોડવાનો નિર્ણય લે છે, તો અન્ય ઘણા ધારાસભ્યો પણ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.

કોંગ્રેસમાં તણાવની સ્થિતિમાં મુનુગોડના ધારાસભ્ય કોમતિરાજ રાજ ગોપાલ રેડ્ડીનું નામ સામે આવી રહ્યું છે. કે જેઓ પાર્ટીને અલવિદા કહી શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સૂત્રોએ જણાવ્યું કે, રાજ ગોપાલ પાર્ટી છોડવાનું પોતાનું મન બનાવી ચૂક્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, જો તેઓ પાર્ટી છોડે છે, તો મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકોને પોતાની સાથે લઈ જઈ શકે છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, રાજ ગોપાલને A રેવંત રેડ્ડીની પાર્ટી ચલાવવાની રીત પસંદ નથી. તેમનું માનવું છે કે, પાર્ટીએ કોંગ્રેસ વફાદારોને બદલે બહારના લોકો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે, તેમણે કથિત રીતે રેવંતને નાલગોંડા જિલ્લામાં પ્રચાર માટે નહીં આવવા માટે કહ્યું છે.

રાજ ગોપાલના ભાઈ વેંકટ રેડ્ડી ભોંગિરથી લોકસભાના સાંસદ છે અને બંનેનું વિસ્તારમાં ઘણું વર્ચસ્વ છે. કોંગ્રેસ નેતાઓને એ વાતનો ડર છે કે, રાજ ગોપાલ રેડ્ડીનો નિર્ણય તેમના ભાઈને પણ પ્રભાવિત કરી શકે છે, જેની અસર કોંગ્રેસ પર પડી શકે છે. રિપોર્ટ મુજબ, રાજ ગોપાલે રેવંત રેડ્ડીને નાલગોંડામાં પ્રચાર અથવા મુલાકાત માટે ચિંતા નહીં કરવા માટે કહ્યું છે અને દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. તેમને લાગે છે કે, રેવંત પાર્ટીની જગ્યા પર પોતાનો પ્રચાર કરે છે અને પોતાના નિર્ણયોમાં પાર્ટીના અન્ય નેતાઓને સામેલ નથી કરતાં. આવું પાર્ટીના ઘણા નેતાઓને લાગે છે, અને હવે તેઓ તેને મજબૂતાઈથી વ્યક્ત કરી રહ્યા છે.

પાર્ટીના સંગારેડ્ડી, ધારાસભ્ય T જયપ્રકાશ રેડ્ડી અથવા જગ્ગા રેડ્ડી પણ રેવંત રેડ્ડીની કામ કરવાની રીતથી ખુશ નથી. તેઓ આ બાબતને લઈને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને પણ રોકી ચૂક્યા છે. પાર્ટી સૂત્રો મુજબ, પ્રદેશ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ AICC નેતાઓનો સંપર્ક કર્યો છે. અહીં, કેટલાક નેતાઓનું કહેવું છે કે, રેવંત નિર્ણયોમાં દરેકને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગામી ચૂંટણી જીતવાના પ્રયાસમાં કોંગ્રેસને એક જૂથ કરવા માટે રાજ્યની મુલાકાત લેશે.

(10:11 pm IST)