મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

પૂરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થી જેઇઇની પરીક્ષા ફરી આપવા આવેદન આપી શકે છે : હાલમાં ચાલતી પરીક્ષા બંધ રાખવા હુકમ આપવા હાઇકોર્ટનો ઇન્કાર

મુંબઇ હાઇકોર્ટની નાગપુરની બેન્ચ મંગળવારથી શરૂ થયેલ જેઇઇ મેઇન પરીક્ષા ઉપર મનાઇ ફરમાવવાનો ઇન્કાર કર્યો છે. પણ કહ્યું છે કે મહારાષ્ટ્રના વિદર્ભના પૂરગ્રસ્ત વિસ્તાર વિસ્તારોના વિદ્યાર્થી જેઇઇની પરીક્ષા ફરી વખત યોજવા માટે આવેદન આપી શકેછે. આ આવેદન અંગે જિલ્લા કલેકટરો સાથે વિચાર વિમર્શ કરવા પણ કહ્યું છે.

(4:04 pm IST)