મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

અનુરાગ કશ્યપે પોલીસને કહ્યું- અભિનેત્રીને મળ્યો જ નથી

યોન શોષણની ફરિયાદ મને બદનામ કરવા માટે કરી

મુંબઇ તા. ૨: અભિનેત્રીએ શારીરિક શોષણનો આરોપ મુકતાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપને મુંબઇના વરસોવા પોલીસ સ્ટેશનમાં બોલાવી પોલીસે કલાકો સુધી પુછતાછ કરી હતી. અનુરાગે પોલીસની પુછતાછમાં કહ્યું હતું કે વરસોવા સ્થિત મારા ઘરમાં ફરિયાદ કરનાર અભિનેત્રી સાથે મારી કદી મુલાકાત જ નથી થઇ, આ જોતાં યોન શોષણનો કોઇ સવાલ જ ઉભો થતો નથી.

અભિનેત્રી ખોટા આરોપ મુકી મને બદનામ કરવાનો પ્રયાયસ કરી રહી છે. કશ્યપે કહ્યું હતું કે હું પણ મારા પર આવા ખોટા આરોપ મુકનાર અભિનેત્રી પર કાયદાકીય કાર્યવાહી કરવા વિચાર કરી રહ્યો છું. મુંબઇ પોલીસે ફરિયાદીની કૂપર હોસ્પિટલ ખાતે તબિબી તપાસ કરાવી હતી. શકયતા છે કે તપાસ બાદ કદાચ અનુરાગની પોલીસ ધરપકડ કરે. ફરિયાદીએ ફરિયાદમાં કહ્યું છે કે તેની સાથે યોૈન શોષણની ઘટના છ વર્ષ પહેલા બની હતી.

(3:58 pm IST)