મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

કોરોના વાયરસથી સંક્રમિત થવા પર મમતાને ગળે લગાડવાની ધમકી આપનાર બીજેપી નેતા સંક્રમિત

પશ્ચિમ બંગાળમાં બીજેપીના રાષ્ટ્રીય સચિવ અનુપમ હાજરા જેમણે કહ્યું હતું કે જો તે કોરોના વાયરસથી સંક્રમિત થશે તો મમતા બેનરજીને ગળે લગાવશે. એમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીએ બતાવ્યું કે હાજરાને કોલકાતાના ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. હાજરાના નિવેદન પર એમના વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

(10:51 pm IST)