૨૪ કલાકમાં ૯૭૬૫ નવા કેસ નોંધાયા ૪૭૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો
દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં થયો વધારો
નવી દિલ્હી તા. ૨ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૬૫ નવા કેસ નોંધાયા છે અને ૪૭૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૫૪૮ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા ઘટીને ૯૯૭૬૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૫૩૮ કેસ નોંધાયા છે અને ૪૦૩ સંક્રમિતોના મોત થયા છે.
બુધવારે ૮૯૫૪ કેસ નોંધાયા હતા અને ૨૬૭ સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં અત્યાર સુધીમાં ૧૨૪,૯૬,૧૯,૫૧૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૦,૩૫,૨૬૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ જોઇએ તો ૩ કરોડ ૪૬ લાખ ૬ હજાર ૨૪૬ કુલ કેસ તથા ૩ કરોડ ૪૦ લાખ ૩૭ હજાર ૫૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ૯૯ હજાર ૭૬૩ એકટીવ કેસ છે અને કુલ મૃત્યુઆંક ૪ લાખ ૬૯ હજાર ૭૨૪ થયો છે.