કેરળમાં કોરોનાનો કહેર યથાવત : દેશમાં નવા 43.640 કેસ નોંધાયા : 56.843 દર્દીઓ રિકવર થયા : વધુ 722 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.01.068 થયો :એક્ટીવ કેસ ઘટીને 4.90.335 થયા : કુલ કેસની સંખ્યા 3.05.01.189 થઇ
સૌથી વધુ કેરળમાં 12.095 કેસ,મહારાષ્ટ્રમા 8753 કેસ, તામિલનાડુમાં 4230 કેસ, આંધ્રપ્રદેશમાં 3464 કેસ,ઓરિસ્સામાં 3222 કેસ,કર્ણાટકમાં 2984 કેસ, પશ્ચિમ બંગાળમાં 1422 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 43.640 કેસ નોંધાયા છે. જ્યારે 56.843 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.640 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 722 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.01.068 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.640 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.05.01.189 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 4.90.335 થઇ છે છેલ્લા 24 કલાકમાં 56.843 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,95.97.738 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.095 કેસ,મહારાષ્ટ્રમા 8753 કેસ, તામિલનાડુમાં 4230 કેસ, આંધ્રપ્રદેશમાં 3464 કેસ,ઓરિસ્સામાં 3222 કેસ,કર્ણાટકમાં 2984 કેસ, પશ્ચિમ બંગાળમાં 1422 કેસ નોંધાયા છે