૧૫ વર્ષના લગ્નજીવન બાદ લીધા છુટાછેડા
આમીર - કિરણના લગ્ન જીવનનો 'ધ એન્ડ'
બિઝનેસ સંબંધ ચાલુ રાખશે : બાળકોને સંપીને મોટા કરશે
મુંબઈ તા. ૩ :બોલીવૂડ અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ લગ્નના ૧૫ વર્ષ બાદ અલગ થયા છે. તેમણે એક સંયુકત નિવેદન રજૂ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમના નિવેદન પ્રમાણે ૧૫ વર્ષોની સફર ખુબ જ ખુબસૂરત રહી પરંતુ હવે તેમના રસ્તા અલગ થઈ ગયા છે. પરંતુ બંને પોતાના પુત્ર આઝાદની મળીને દેખભાળ કરશે. આ સાથે જ તેની અસર તેના પ્રોફેશનલ પ્રોજેકટ્સ ઉપર પણ નહીં પડે.
પોતાનાં જોઇન્ટ સ્ટેટમેન્ટમાં આમિર ખાન અને કિરન રાવએ કહ્યું કે, આ ૧૫ સુંદર વર્ષમાં અમે એક સાથે જીવનભરનાં અનુભવ, આનંદ અને હાસ્ય શેર કર્યું છે. અમારા સંબંધ ફકત વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાં ઇચ્છીએ છીએ.હવે અમે પતિ-પત્નીનાં રૂપમાં નહીં પણ એક બીજાનાં માટે સહ- માતા-પિતા અને પરિવારનાં રૂપમાં છીએ.
સ્ટેટમેન્ટમાં તે આગળ લખે છે કે, 'અમે થોડા સમય પહેલાં પ્લાંડ સેપરેશન શરૂ કર્યું હતું. અને હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં અમને સહજ અનુભવ થઇ રહ્યો છે. અલગ-અલગ રહેવા છતાં અમે અમારા જીવનને એક વિસ્તારિત પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ. જેનો ઉછેર અમે હળીમળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજના પર પણ સહયોગનાં રૂપમાં કામ કરવાનું ચાલુ રાખીશું. જે અંગે અમે ભાવૂક અનુભવ કરીએ છીએ.'
છૂટાછેડા બાદ જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા સંબંધોમાં આ વિકાસ અંગે અમે નિરંતર સમર્થન અને સમજણ માટે અમારા પરિવાર અને મિત્રોનો ખુબ ખુબ આભાર. જેમનાં વગર અમે આ પગલું લેવામાં એટલાં સુરક્ષિત ન હોતા. અમે અમારા શુભચિંતકોની શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ. આશા કરીએ છીએ કે, અમારી જેમ તમે પણ આ છૂટાછેડાને અંતની જેમ નહીં, પણ એક નવાં સફરની શરૂઆતનાં રૂપમાં લેશો. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.'