કેરળમાં કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 42.751 કેસ નોંધાયા : 51.775 દર્દીઓ રિકવર થયા : વધુ 932 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.02.015 થયો :એક્ટીવ કેસ ઘટીને 4.80.203 થયા : કુલ કેસની સંખ્યા 3.05.44.485 થઇ
સૌથી વધુ કેરળમાં 12.456 કેસ,મહારાષ્ટ્રમા 9489 કેસ,તામિલનાડુમાં 4013 કેસ, આંધ્રપ્રદેશમાં 2930 કેસ,ઓરિસ્સામાં 2917 કેસ,આસામમાં 2375 કેસ, કર્ણાટકમાં 2082 કેસ, પશ્ચિમ બંગાળમાં 1391 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 42.751 કેસ નોંધાયા છે. જ્યારે 51.775 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.751 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 932 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.02.015 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.751 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.05.44.485 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 4.80.203 થઇ છે છેલ્લા 24 કલાકમાં 51.775 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,96.50.169 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.456 કેસ,મહારાષ્ટ્રમા 9489 કેસ,તામિલનાડુમાં 4013 કેસ, આંધ્રપ્રદેશમાં 2930 કેસ,ઓરિસ્સામાં 2917 કેસ,આસામમાં 2375 કેસ, કર્ણાટકમાં 2082 કેસ, પશ્ચિમ બંગાળમાં 1391 કેસ નોંધાયા છે