મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ ફેલાઈ શકે : રિસર્ચમાં દાવો

આ સ્ટડી માટે દર્દીના RT-PCR રિપોર્ટ આવ્યા પહેલા 48 કલાકની અંદર આંસુના નમૂના લેવાયા હતા

નવી દિલ્હી : અવનવા રંગ બદલી રહેલા કોરોનાને લઇને નવી માહિતી સામે આવી છે. કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ ફેલાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આવામાં આંખના ડૉક્ટરોને વધારે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજે એક રિસર્ચમાં આ દાવો કર્યો છે. આ સ્ટડી માટે દર્દીના RT-PCR રિપોર્ટ આવ્યા પહેલાથી 48 કલાકની અંદર આંસુના નમૂના લેવામાં આવ્યા હતા.

(1:45 pm IST)