મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

ભારતીય નૌસેના સાઉથ ચાઈના સીમાં શક્તિ પ્રદર્શન કરશે

લદાખમાં તણાવ સર્જનાર ચીન સામે ભારતનો પડકાર : ભારતીય નૌ સેનાના યુધ્ધ જહાજો બે મહિના સુધી સાઉથ ચાઈના સી તેમજ દક્ષિણ પૂર્વ એશિયામાં રહેશે

 

નવી દિલ્હી, તા. : લદ્દાખ મોરચે તનાવ સર્જનાર ચીનને પડકાર ફેંકવા માટે ભારતીય નૌસેનાએ સાઉથ ચાઈના સીમાં ચાર યુધ્ધ જહાજો મોકલીને શક્તિ પ્રદર્શન કરવાનુ નક્કી કર્યુ છે. ભારતીય નૌ સેનાના યુધ્ધ જહાજો બે મહિના સુધી સાઉથ ચાઈના સી અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેશે. ભારતીય જહાજો વિયેટનામ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપિન્સના યુધ્ધ જહાજો સાથે યુધ્ધા અભ્યાસ કરવાના છે. તમામ દેશો સાથે ચીનને સાઉથ ચાઈના સીમાં વિવાદ ચાલી રહ્ય છે.

ભારત દ્વારા જે યુધ્ધ જહાજો મોકલવામાં આવસે તેમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ, એન્ટી સબમરિન જહાજ પણ સામેલ છે. જહાજો એવા સમયે સાઉથ ચાઈના સીમાં જઈ રહ્યા છે જ્યારે તાઈવાન પર ચીનના હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચીનના આક્રમક વલણથી સાઉથ ચાઈના સીમાં તેના પાડોશી દેશો પરેશાન છે.

કારણોસર સાઉથ ચાઈના સીમાં વિવિધ દેશોની નૌસેનાની હિલલચાલ વધી છે. ગયા સપ્તાહે બ્રિટનનુ એરક્રાફ્ટ કેરિયર વિસ્તારમાંથી પસાર થયુ હતુ. અહીંયા ચીનની નૌસેના સમયાંતરે અભ્યાસ કરતી હોય છે. ચીનનો દાવો છે કે, સાઉથ ચાઈના સી પર અમારો હક છે. દાવાના સમર્થનમાં તે અહીંયા કૃત્રિમ ટાપુઓ પણ બનાવી ચુકયુ છે.

જ્યાં ભારે હથિયારો અને વિમાનો પણ તૈનાત કર્યા છે. જાણકારોનુ માનવુ છે કે, સાઉથ ચાઈના સીમાં ભારતીય યુધ્ધ જહાજો વિવાદીત ટાપુઓથી ભલે દુર રહે પણ ચીનને સંદેશ આપવા માટે વિસ્તારમાં ભારતીય યુધ્ધ જહાજોની એન્ટ્રી કાફી છે. સાથે સાથે ભારતના પગલાથી ચીન ભડકશે તેવુ પણ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.

(7:30 pm IST)