કાશી વિશ્વનાથ ધામનું સંચાલન લંડનની કંપની કરશે
વારાણસી તા. ૩ :.. શ્રી કાશી વિશ્વનાથ ધામનું સંચાલન લંડનની કંપની ઇસ્ટ એન્ડ યંગ કરશે. મંગળવારે ધામની વિશિષ્ઠ વિકાસ પરિષદની બેઠકમાં કંપનીના નામ ઉપર મહોર મારવામાં આવેલ. આ બેઠકમાં અલગ - અલગ મુદાઓ ઉપર ચર્ચા થયેલ અને નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા થયેલ.
જીલ્લા કલેકટર દીપક અગ્રવાલે જણાવેલ કે કાશી વિશ્વનાથ ધામનું સંચાલન અને દેખરેખ પીપીપી મોડલ ઉપર કરાશે. જેની જવાબદારી બ્રીટીશ કંપની ઇસ્ટ એન્ડ યંગને આપવામાં આવી છે. કંપની કુંભ મેળામાં પણ સલાહ આપવાનું કામ કરી ચૂકી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કંપનીને કામ સોંપાયું છે. ધામમાં નિર્માણાધીન રજૂ ભવનોમાં લગભગ ૧૦ ભવનોનો વ્યાવસાયીક ઉપયોગ થશે. ઉપરાંત ફર્નીચર ખરીદ કરવા આદેશ આપવાની સાથે ભવનોના સંચાલન માટે કંપનીઓને આમંત્રીત કરી તેમની પાસેથી સારા સંચાલન કરાવાને લઇને ચર્ચા થયેલ.