News of Tuesday, 4th January 2022
૧૨ નાગરિકોના મોત માટે જવાબદાર હતો: આતંકી સલીમ પર્રે ને ફૂંકી માર્યો: શ્રીનગરમાં આજે બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
સુરક્ષા દળોએ આજે રાજધાની શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સલીમ પારે સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વર્ષ ૨૦૧૬માં લગભગ ૧૨ નાગરિકોની હત્યા માટે સલીમ પારે જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. કાશ્મીરના આઈજી કે વિજય કુમારે પોતે આ જાણકારી આપી છે.
(12:00 am IST)