મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

આ હાઉસફુલનું બોર્ડ કોઈ સિનેમાઘરની બહાર નથી લાગ્યું પરંતુ બેંગ્લોરના સ્મશાનની બહાર લાગ્યુ છે

કોરોના વાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ લાચાર છે. રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના વાયરસના વધતા આ કેસના કારણે હોસ્પીટલો, શબઘરો અને સ્મશાન પર ભારે બોજો આવી પડયો છે. હોસ્પીટલોમાં બેડ નથી, શબઘર અને સ્મશાનોમાં મૃતદેહ રાખવાની જગ્યા નથી. કોરોનાના કારણે થયેલા મોતથી લાશોના ઢગલા થઈ ગયા છે. અનેક સ્મશાન ઘાટો પર અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. કર્ણાટકના ચામરાજપેટના એક સ્મશાનની બહાર હાઉસફુલનુ એક સાઈનબોર્ડ જોવા મળી રહ્યુ છે. અહીં એક સાથે ૨૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. હવે ત્યાં વધુ વ્યવસ્થા ન હોવાથી કોઈ મૃતદેહ નહિ લાવવા જણાવાયુ છે.

(11:18 am IST)