મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

પાણીપતમાં કોરોના સંક્રમણમાં વધારો

કોર્ટના પ્યુન સહિત ૮ના મોતઃ ૭૧૬ નવા કેસ

પાણીપત તા. ૪: કોરોના સંક્રમણથી ૮ દર્દીઓના મોતની પુષ્ટી આરોગ્ય વિભાગે કરી છે. મૃતકોમાં એડીજે વિમલ સપરાની કોર્ટના ૩ર વર્ષનાં ચપરાસી પણ સામેલ છે. મૃતકોમાં ૪ પુરૂષો અને ૪ મહિલાઓ છે. તો ૭૧૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જે પાણીપતમાં એક દિવસમાં આવેલ સૌથી વધારે આંકડો છે.

તો બીજી તરફ સ્મશાન ઘાટમાં ૧૬ શબોના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડ લાઇન હેઠળ કરવામાં આવ્યા જેમાંથી ૪ શબ બીજા રાજય-જીલ્લાના હતા. જયારે છેલ્લા ર૪ કલાકમાં ૪પ૧ દર્દીઓ સાજા પણ થયા હતા.

(3:38 pm IST)