હાય રે અંધશ્રદ્ધા ....: કથિત માનવ બલિદાન માટે નેપાળથી લાવવામાં આવેલી 16 વર્ષીય કિશોરીને ભારતમાં બચાવી લેવાઈ :5 મહિલા સહિત 6ની ધરપકડ
કાઠમંડુ: માનવ બલિદાન માટે સરહદ પારથી કથિત રીતે તસ્કરી કરાયેલી 16 વર્ષની નેપાળી યુવતીને ભારતમાં બચાવી લેવામાં આવી છે અને નેપાળના કાયદા અમલીકરણ અધિકારીઓએ તેની તસ્કરીમાં કથિત સંડોવણી બદલ પાંચ મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.
નેપાળના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કિશોરીને ભારતના એક મોટા તાંત્રિક પાસેથી આશીર્વાદ લેવાનું અને મોટી રકમ આપવાનું વચન આપીને ફસાવવામાં આવી હતી.નેપાળના એન્ટી-ટ્રાફીકીંગ બ્યુરોએ અહીંથી લગભગ 60 કિમી દૂર આવેલા ધાડિંગ જિલ્લામાંથી પાંચ મહિલાઓ સહિત છ નેપાળી પુરુષોની ધરપકડ કરી હતી, જે કિશોરીને ભારતમાં તાંત્રિક પાસે મોકલવામાં તેમની કથિત સંડોવણી હતી.
નેપાળ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, માતા અને પિતાના છૂટાછેડા બાદ બાળકી તેના મામા સાથે રહેતી હતી. જ્યારે તે 3 ડિસેમ્બરે તેના મામાના ઘરેથી ગુમ થઈ હતી, ત્યારે તેના સંબંધીઓએ 21 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.