News of Wednesday, 5th May 2021
ભારતના સૌથી જુના ધર્મગુરૂ ચાર ત્રાઇસોસ્ટમનું ૧૦૩ વર્ષની વયે નિધન
નવી દિલ્હીઃ દેશના સૌથી જુના ધર્મગુરૂ પૈકીના એક ડો.ફિલીપ માર ત્રાઇસોસ્ટમનું ગઇકાલે રાત્રે ૧:૩૦ કલાકે પઠાનમયિટ્ટા જીલ્લાના પિરૂવલ્લાભા ખાતે એક હોસ્પિટલમાં નિધન થયુ છે. તેમને બુધ્ધી અને જ્ઞાનના પુજારી તરીકે ઓળખવામાં આવતા હતાં: તેઓ ઉમદા પ્રવચનો માટે જાણીતા હતાં. તેઓ સમાજની કઠોર માન્યતાઓ અને વ્યવસ્થાઓના વિરોધી હતાં. ૨૭ એપ્રિલ ૧૯૧૮માં જન્મેલા આ મહાગુરૂએ ૨ સપ્તાહ પહેલા જ ૧૦૩મો જન્મદિવસ મનાવ્યો હતા. તેમનું સેન્સ ઓફ હયુમર અદભુત હતું.
(11:50 am IST)