મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ભારતના સૌથી જુના ધર્મગુરૂ ચાર ત્રાઇસોસ્ટમનું ૧૦૩ વર્ષની વયે નિધન

નવી દિલ્હીઃ દેશના સૌથી જુના ધર્મગુરૂ પૈકીના એક ડો.ફિલીપ માર ત્રાઇસોસ્ટમનું ગઇકાલે રાત્રે ૧:૩૦ કલાકે પઠાનમયિટ્ટા જીલ્લાના પિરૂવલ્લાભા ખાતે એક હોસ્પિટલમાં નિધન થયુ છે. તેમને બુધ્ધી અને જ્ઞાનના પુજારી તરીકે ઓળખવામાં આવતા હતાં: તેઓ ઉમદા પ્રવચનો માટે જાણીતા હતાં. તેઓ સમાજની કઠોર માન્યતાઓ અને વ્યવસ્થાઓના વિરોધી હતાં. ૨૭ એપ્રિલ ૧૯૧૮માં જન્મેલા આ મહાગુરૂએ ૨ સપ્તાહ પહેલા જ ૧૦૩મો જન્મદિવસ મનાવ્યો હતા. તેમનું સેન્સ ઓફ હયુમર અદભુત હતું.

(11:50 am IST)