મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ઘણુ જીવો લંકેશ...

‘‘રાવણ’’ના પાત્રથી જગવિખ્યાત અરવિંદ ત્રિવેદીનાં નિધનની સોશ્યલ મિડીયામાં અફવાઃ ગયા વર્ષે ફેસબુક ઉપર વાયરલ થયેલી અફવાને આ વર્ષે પણ કોઈએ વાયરલ કરી

રાજકોટ તા. પઃ સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગ પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે.

ઇ-સાઇબર પ્લાનેટ ડોટ કોમ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઇ બિલકુલ સહી સલામત છે.

સોશ્યલ મિડીયામાં અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના સમાચાર વાયરલ થયા બાદ આ અંગે તેમના ભત્રીજા કૌસ્તુભભાઈ ત્રિવેદીએ અકિલાને જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે સોશ્યલ મિડીયામાં તા. ૪ મેના રોજ અરવિંદભાઈના સમાચાર વાયરલ થયા હતા તે જ સમાચાર ફરી એક વર્ષ બાદ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા છે. આ સમાચાર ખોટા છે અને અરવિંદભાઈ ત્રિવેદી મુંબઈમાં જ પોતાના ઘરે સ્વસ્થ છે. અરવિંદભાઈએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. તેમનો રીપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો છે. હાલમાં ૮૨ વર્ષની ઉંમરે તેઓ પ્રભુભકિત કરી રહ્યા છે. આ અંગે અમદાવાદના અભિલાષભાઈ ઘોડાએ પણ આ સમાચાર ખોટા હોવાની માહિતી આપી હતી.(૨-૧૬)

(1:32 pm IST)