મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

ઢાકા મસ્જિદના એસીમાં વિસ્ફોટ : બાળક સહિત 12 લોકોના મોત : 25 લોકો ગંભીર

ગેસ લીક થતા મસ્જિદના છે એર કન્ડીશ્નરમાં એકસાથે વિસ્ફોટ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત એક મસ્જિદમાં વિસફોટ થતા 12 લોકોના મોત થયા છે અને 25 જેટલા લોકો ગંભીર ઇજા પામ્યા છે. આ વિસફોટ મસ્જિદના 6 એર કન્ડીશનર્સમાં એક સાથે થયો હતો, જેની પાછળનું કારણ ગેસ લિક થતો હોવાનું માનવામાં આવે છે.

મસ્જિદમાં થયેલો વિસફોટ ભીષણ હતો જેના કારણે ત્યાં હાજર મોટાભાગના લોકો તેનો શિકાર બન્યા હતા, આ વિસફોટમાં એક બાળક સહિત 12 લોકોના મોત થયા હતા અને અન્ય 25 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટના અંગે માહિતી આપતા ફાયર બ્રિગેડ અધિકારીનું કહેવુ હતું કે, નારાયણગંજ નદીને કિનારે શહેરી વિસ્તામાં સ્થિત મસ્જિદમાં શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ ભયાનક વિસફોટ થયો હતો. દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોની સારવાર ચાલી રહી છે, પરંતુ તબીબોએ તેમની સ્થિતિ નાજૂક બતાવી હતી, કારણ કે તેઓ 90 ટકાથી વધારે દાઝી ગયા હતા.સ્થાનિક પ્રશાસન મુજબ વડાપ્રધાન શેખ હસીનાએ ઘાયલોની સારવાર અંગે હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા.

(6:01 pm IST)