આઈ ટી રૂલ્સ 2021 : આપના આદેશ મુજબ અમે હવે કાયમી મુખ્ય અધિકારી ,ફરિયાદ અધિકારી તથા નોડલ અધિકારીની નિમણુંક કરી દીધી છે : ટ્વીટરે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી : 10 ઓગસ્ટના રોજ સુનાવણી
ન્યુદિલ્હી : ટ્વીટરે આજરોજ દિલ્હી હાઇકોર્ટને જાણ કરી છે કે આપના આદેશ મુજબ અમે હવે કાયમી મુખ્ય અધિકારી ,ફરિયાદ અધિકારી તથા નોડલ અધિકારીની નિમણુંક કરી દીધી છે . આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ ઉપર રાખવામાં આવી છે.
સિનિયર એડવોકેટ સાજન પૂવૈયાએ ટ્વિટર વતી રજૂઆત કરી હતી કે આ બાબતે નવેસરથી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડીશ્નલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ 2021 મુજબના નિયમોનું પાલન થયું હોવાનું જણાય છે.
જસ્ટિસ રેખા પલ્લીએ નોંધ્યું હતું કે ટ્વિટરે કોર્ટના આદેશોનું પાલન કર્યું છે. આ મામલાની સુનાવણી 10 ઓગસ્ટ, 2021 ના રોજ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.